અત્યારે સૌથી વધારે ચર્ચામાં હોય તો તે છે લોકપાલ બીલ. અન્ના એ જયારે પહેલી વખત આંદોલન છેડ્યું ત્યારે લોકપાલ બીલ શું છે તેની લોકોને ખબર પડી. અત્યાર સુધી ના બનાવો નું અવલોકન કરીએ તો અન્નાએ પહેલીવખત આંદોલન છેડ્યું અને લોકશક્તિ નો પરચો દેખાડ્યો જેથી સરકાર દોડતી થઇ ગયી. સરકાર ની ઈચ્છા ના હોવા છતાં તે બીલ ને સંસદ માં રજુ કરવાની ફરજ પડી. અહિયા સુધી તો બધું બરાબર છે. જનતાએ માગણી આંદોલન કરી ને સરકારને જણાવી દીધી. હવે વારો આવ્યો સરકાર નો. સરકારને ગમે તેમ કરીને બીલ પાસ કરાવવું જ રહ્યું. અત્યારે સ્પષ્ટ બહુમતી સરકાર તો છે નહિ. એટલે બધા પક્ષોને વિશ્વાસ માં તો લેવાજ પડે. દરેક પક્ષ પોતાનો સ્વાર્થ સાધવાનોજ. અત્યારે કોગ્રેશ ને ખુરશી બચવા માટે પરાણે બીલ પાસ કરવું પડે તેમ છે. ભા જ પ નું વર્તન અત્યારે લુચ્ચા શિયાળ જેવું છે. ક્યારે મોકો મળે અને સરકાર ઉથલાવી એ અને ખુરશી પચાવી પાડીએ. બીજા ટેકેદારો આ બીલ પાસ ના થાય તેમાજ રસ ધરાવે છે. ( હાથે કરી ને કોણ પગ પર કુહાડો મારે ) જોકે કાલે લોકસભામાંથી પાસ કરી ને હવે રાજ્ય સભામાં મોકલ્યું છે.
હવે વાત કરીએ તો લોકપાલ ના મુદ્દા ની તો એમાં એક મુદ્દો એવો છે કે વડાપ્રધાન ને પણ લોકપાલ ના દાયરા માં સમાવેશ કરવો. સરકારે શરતી મંજુરી પણ આપી. પણ મૂળ વાત હવે આવે છે કે ગઈ કાલે સંસદ માં ચર્ચા થતી હતી ત્યારે શિવસેના ના વિધાયાકે મુદ્દો ઉઠાવ્યો કે આવડા મોટા દેશ માંથી આપણ ને કોઈ એક એવો વ્યક્તિ નહિ મળે કે જેનાં પર આપણે વિશ્વાસ ના મુકી શકીયે ? ખરેખર તો વાત સાચી છે, આપણે કોઈક પર તો વિશ્વાસ રાખવોજ પડશે, હવે બીજી વાત પણ કરી કે જે લોકપાલ નીમાશે તે ખરેખર ઈમાનદાર હશે તેની ગેરંટી શું ? જેનો જવાબ તો ખુદ અન્ના પાસે પણ નહિ હોય…!!!
બીજી વાત એ આવે છે કે સંસદ ની ગરિમા ની. કાયદા બનાવવાનો હક્ક માત્ર ને માત્ર સંસદ ને છે. જનતા ની ‘ જરૂરિયાત ‘ મુજબ કાયદા ઘડવાનું કામ સંસદ નું છે. અન્ના એ અંદોલન કર્યું, સરકારે એમની માંગણી મુજબ લોકપાલ બીલ પર કામ પણ ચાલુ કર્યું. સંસદે બીલ પણ પાસ કર્યું અને આગળ ની કાર્યવાહી પ્રમાણે રાજ્ય સભામાં મોકલ્યું.( તેમાં ભવિષ્યમાં ફેરફાર કરવાનો વિકલ્પ ખુલ્લો છેજ ) હવે મૂળ મુદ્દો એ છે કે જે બીલ પાસ કર્યું તે અન્ના ની માંગણી મુજબ નથી. અન્ના ને ૧૦૦% પોતાની માંગણી મુજબ બીલ પાસ કરાવવા માટે ફરીથી આંદોલન છેડ્યું. અહિયા નથી લાગતું કે અન્ના એ થોડી રાહ જોવાની જરૂર હતી ? અને એક વાત એ પણ છે કે કોઈ પક્ષ કે કોઈ આગેવાન પોતાની મરજી મુજબજ કામ થવું જોઈએ એવી જીદ લઈને બેસે તો ભવિષ્યમાં એવા કેટલાય આંદોલનો થવાના, દરેક ની વાત વ્યાજબી જ છે અને સરકારે તે વાત ફરજીયાત માનવી એ પણ જરૂરી તો નથીજ . અહિયા સરકાર ની એક વાત એ પણ સાચી છે કે ફૂટપાથ પર બેસી ને કાયદા ના ઘડાય.