ગાંધીજી ની વ્યથા

હાશ આજે ઘણા સમયે પાછો નવડાવ્યો, આમ તો સાબરમતી ના કિનારે ઉભો છું છતાં રોજ નાવા નું  મારા નસીબ માં નથી, વાર તહેવારે નવડાવે છે. આજે મારી પૂણ્યતીથી છે, ૨૦-૨૫ માણસો નુ ટોળું આવ્યુ છે, સાથે ૭-૮ કેમેરા વાળા પણ છે. બધા ઈસ્ત્રી ટાઈટ સફેદ લૂગડા માં છે, જાણે બેસણાં માં જવાનુ ના હોય, આમાથી ખાદી તો પાછી કોઇએ પેરી નથી, મારો તો જીવ બળી ગયો મે આખી જીંદગી હાથે બનાવેલી ખાદી પેરી અને વિદેશી કાપડ ની હોળી કરેલી અને જુઓ અત્યાર ના જુવાનીયાવ  મીલો ના લૂગડા પેરી વટ થી પાછા મારી સામે આવે છે.   અહિયા આવ્યા છે તેમને તો મારી કે મારા આદર્શો  ની કાંઇ પડી જ નથી તેઓ તો માત્ર મારી સામે ઉભા રહી ફોટા પડાવ્યા અને જતા રહ્યા.એમાથી કોક ને વિચાર આવ્યો હસે કે બાપૂ ને અહિયા ઉભા ઉભા બહુ ઘોંઘાટ નડતો હશે એટલે  ૩-૪ છોકરાવ ને હાથ માં પૂઠા પકડાવી ને મારી આજુબાજુ ઉભા રાખ્યા છે, તેમા લખ્યુ છે “નો હોર્ન પ્લીઝ ”  “હોર્ન વગાડી ને ઘોંઘાટ કરવો નહી. ” ભૈ મને ઘોંઘાટ નહી પણ આ મારી જ સામે ઉભારહી ને પેલા ટ્રાફીક હવાલદાર કટકી કરે છે તે નડે છે, અને પાછો મને એવી જગ્યાએ ઉભો રખ્યો છે કે બરાબર મારી સામેજ ટેક્ષ ઓફીસ છે, જ્યાં ટેક્ષ બચાવા માટે રોજ મોઘી ગાડીઓ માં દોડાદોડી કરતા મોટા શેઠીયા ને જોવા ના શું કરુ ? હવે તો વિચારુ છુ કે અહિયા થી દોડી ને સીધો દાંડી ના દરીયા માં જતો  રહું…!

રેલ્વે ઈન્કવાયરી

જો તમારે વારંવાર રેલ્વે કે એરલાઇન્સ મા મુસાફરી કરવા ની થતી હોય અને ઇન્ડીયન રેલ્વે ની સાઈટ થી કંટાળ્યા હો તો ,અને બધી એરલાઇન્સ ની સાઇટ જોઇ ને ટાઇમ ના બગાડવો  હોય તો સાવ સહેલો રસ્તો બતાવ્યો છે રીડીફે. જસ્ટ ટ્રાય

http://indian-railways.rediff.com/

સ્કુલો માં ફરજીયાત ધ્વજવંદન કેમ નહી ???

આજે પેપર માં વાંચ્યું કે અમદાવાદ ની ઘણી બધી સ્કુલોએ ધ્વજવંદન નો કાર્યક્રમ રાખ્યો જ નહી, બાળકો જ્યાં ભણે છે તે જ સંસ્થા જો આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા માં માનતી ના હોય તો એનાથી વધારે કમ નસિબી કઈ ? સ્કુલો જ જો દેશ પ્રેમ વિશે નુ જ્ઞાન નહી આપે તો આપશે કોણ ? આના પરથીજ સમગ્ર વાત તો અંદાજ આવી જાય છે કે સ્કુલો માં કેવું અને કેટલુ શિક્ષણ અપાતુ હશે. અત્યાર ના શિક્ષકો એટલા આળસુ થઈ ગયા છે કે આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી પોતે  નથી આપતા અને નથી વિધ્યાર્થી ને અપાવતા…!!! આપણા મુખ્યમંત્રી શ્રી ફરજીયાત મતદાન નો  મુદ્દો લઈ આવ્યા પરંતુ જરુર ફરજીયાત મતદાન ની નહી પણ જરુર ફરજીયાત ધ્વજવંદન ની છે. બાળકો ને પાયામાંથીજ  દેશભક્તીનું શિક્ષણ મળશે તો તે પોતે જ જ્યારે મતાધિકાર મેળવશે ત્યારે સામે થી મત આપવા દોડી જશે. ખરેખર તો શાળા ચાલુ થાય એટલે પ્રાર્થના સાથે દરરોજ ધ્વજ વંદન પણ થવું જ જોઇએ. તોજ આપણા બાળકો માં થોડી તો  દેશભક્તી પેદા થાય. માત્ર ગાંધીજી ના આદર્શો શાળા માં ગોખાવા થી ( ભણાવે છે કોણ ? ) દેશભક્તો તૈયાર નથી થતા. જોકે દેશભક્તો તૈયાર થાય તો અત્યાર ના રાજકારણી ઓ ને મત કોઈ ના આપે એટલે તેઓ તો પ્રજા ને ગુમરાહ કરવાના જ રસ્તા ગોતે.

જય હિન્દ

દેશી અંગરેજી

પશા કાકાએ મનુ માસ્તર ને  પૂછ્યું કે મને એક ગુજરાતી નુ અંગરેજી કરી દે,

મનુ માસ્તર – બોલો કાકા

પશા કાકા – વસંતે મને મુક્કો માર્યો.

મનુ માસ્તર માથુ ખંજવાળવા માંડ્યો

પશા કાકા –  તારી જેવા ભણેલા નુ કામ નહી અરે ગાંડા એનુ અંગરેજી  થાય  વસંત પંચમી  – Vasant punch me

શાહરુખ In અમદાવાદ

માય નેમ ઇઝ ખાન ના પ્રોમો માટે અત્યારે શાહરુખ ખાન અમદાવાદ માં છે,

પોતાના ફિલ્મ ની જાહેરાત  કરવા માટે પબ્લિક ની વચ્ચે આવી ગયો, આખરે પાપી પેટ કા સવાલ હૈ ના. અને યુવા વર્ગ ને તો જાણે ભગવાન આવ્યા…!!!

સહનશીલ પ્રજા

ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ના ઓથાર નીચે આજે પ્રજાસત્તાક દિન ઉજવ્યો. દર સાલ ની જેમ આ સાલ પણ આપણો રાષ્ટ્રીય તહેવાર માત્ર ટીવી માં પરેડ નુ લાઇવ પ્રસારણ  ને રેડિયા માં દેશ ભક્તિ ના ગીતો સાંભળી  ને પૂરો કર્યો.  આઝાદી ના ૬૦ વર્ષ પછી પણ હજી પ્રજા ને માથે તો ભય જ છે, બસ માં, ટ્રેન માં કે પ્લેન માં જવું હોય તો બીક રાખવાની ક્યાંક બોમ્બ તો નહી ફૂટે ને…!!!  આપણા સંરક્ષણ પ્રધાન તો વળી જાહેરાત કરતા હતા કે  તૈયાર રહેજો  હુમલા થવાના છે…!!! શરદ પવાર ની કૃપા થી આજે આપણે ૧૫ રુપિયે કિલો વાળી ખાંડ  ૫૦ રુપિયે કિલો  ખાઈયે છીયે…!!! અને  ભ્ર્ષ્ટાચાર તો  સર્વવ્યાપી, છેક ભગવાન ના મંદીર સુધી, પૈસા આપો એટલે વગર લાઇન માં ઉભારહે સીધા જ દર્શન…!!!  અંગ્રેજો ના જમાના માં પ્રજા અંગ્રેજો ના અત્યાચાર  સહન કરતી હતી અને અત્યારે રાજકારણીઓ ના અત્યાચાર  સહન કરે છે, પહેલા અને અત્યાર ના સમય માં કાંઇ ફેર નથી માત્ર ટેકનોલોજી નો વિકાસ થયો  બાકી તો  હતા ત્યાં ને ત્યાં…!!!

આપણે કેટલે પહોચ્યા…?

એકવીસમી સદી નો એક દાયકો પૂરો થવા માં હવે એક વર્ષ બાકી છે, ત્યારે મોંઘવારી એ માજા મુકી છે, માર્કેટ મા મંદી નો માહોલ ચાલે છે, આપણે  ચંદ્ર પર યાન મોકલી દીધું,  શહેરો માં ફ્લાયઓવર પૂલ , મોલ, મોટા બિલ્ડીંગો બની ગયા. છતાં આપણે માનસિક રીતે અશાંત છીયે,સમૃધ્ધિ છે પણ પરિવાર નથી, અંગ્રેજી સ્કુલો વધી, ડોનેશન વધ્યા અને ભ્રષ્ટાચાર પણ…!!! ખેડુત જમીન વેચી ને કરોડ પતી થયા ને પછી પતી યે ગયા…!!! ને પછી થયા બેકાર. અને ચેનલો તો…. બસ ફિલ્મ કલાકારે શું ખાધું શું પહેર્યુ ક્યાં ગયો,અને  રાજકારણ મો કોને શું નિવેદન આપ્યું, કોના ટાંટીયા ખેચ્યા,અને આ બધુ દેખાડવામાં  સૌથી પેલા અમે પહોંચ્યા..!!!

પાણી માટે તો…  જમીન ના તળ ઊંડા જતા રહ્યા, ભવિષ્ય માં પાણી નો પ્રશ્ન વિકટ બનવાનો જ છે, જ્યાં પાણી ની સગવડતા છે ત્યાં બગાડ પણ એટલો જ છે, અને નથી ત્યાં પીવા નું પાણી ભરવા પણ ૨/૩ કિલોમીટર દૂર જવુ પડે છે. વાહન વ્યવહાર વધ્યો ગાડીઓ ના નવા મોડેલ આવ્યા તો પાછું ગ્લોબલ વોર્મિગ વધ્યું…!!! વરસાદ ને પડવું હોય તોજ પડે નહીતર દૂષ્કાળ. અને જંગલો તો કાપવા માટે તૈયાર અને નવા વૃક્ષો કોણ વાવે ?  શિક્ષણ તો…  બસ પૈસા કમાવા નો ટુકો રસ્તો, સ્કુલો માં ફી ભરો ભણવાનુ તો ઘરે જ અને ટ્યુશન માંજ , ગામડા માં વિધ્યાર્થી ને બેસવા માટે ઓરડા ની પણ વ્યવસ્થા નથી,

અને છેલ્લે કોમ્પ્યુટર સસ્તા થયા મોબાઈલ સસ્તા થયા ને ઈંન્ટરનેટ પણ હવે સસ્તુ થવુ થવુ થઇ રહ્યુ છે, આખી દુનિયા ના સંમ્પર્કમા છીએ પણ આપણા પોતાના હોય એના સંમ્પર્ક મા નથી….!!!

મેરા ભારત મહાન…!!!

હવે ગુજરાતી નું શું થશે ???

લોકો આદુ ખાઈ ને પાછળ પડ્યા છે જાણે કાલે જ ગુજરાતી ભાષા મરી જવા ની ના હોય ? ભઈ ગુજરાતી ભાષા ને આવતા ૧૦૦ વર્ષ સુધી કાંઇ થવા નુ નથી,  કારણ કે ૫.૫ કરોડ લોકો ની તે માતૃ ભાષા છે. આ ૫.૫ કરોડ કંઈ રાતો રાત ઈગ્લીશ નથી થઇ જવાના. મારી જ વાત કરુ તો હુ તો જીવિશ ત્યાં સુધી ગુજરાતી જ બોલવા નો છું, મારા છોકરાવ પણ ગુજરાતી જ બોલવાના છે. રહી વાત અંગ્રેજી ની તો જે લોકો વ્હાઇટ કોલર જોબ કરે છે એમને જ વધારે અંગ્રેજી ની જરુર પડવા ની છે. બાકી ના લોકો ને તો અંગ્રેજી ની કોઇ જ જરુર નથી, એમનો વ્યવહાર તો ચાલે જ છે, અને ચાલવા નો પણ છે. હવે શિક્ષણ માં અંગ્રેજી માધ્યમ ની અત્યારે હવા ચાલે છે, સારી વાત છે, અંગ્રેજી કોમ્પ્યુટર ની ભાષા છે અને આવતા સમય માં કોમ્પ્યુટર નો વપરાશ વધવાનો છે એટલે અંગ્રેજી શીખવુ હવે જરુરી બન્યુ છે, બીજુ કે વિદેશ જે લોકો ને ભણવા જવુ છે કે કમાવા એમને જરુર પડવા ની છે, પરંતુ તેવા લોકો કેટલા ? દા.ત. રોજ ના ૧૦૦૦ લોકો ગુજરાત છોડી ને વિદેશ જાય છે તો પાછળ ગુજરાતી બોલવા વાળા રોજ કેટલા નવા પેદા થાય છે ? એ તો શક્ય નથી જ કે ગુજરાત ની જે વસ્તી છે બધી વિદેશ જતી રહેવા ની .  અત્યાર ની નવી પેઢી મા અંગ્રેજી નુ વર્ચસ્વ છે પરંતુ તે માત્ર શહેરી વિસ્તાર પૂરતું જ  ( ઘર માં તો પાછું ગુજરાતી જ બોલવા નુ ), તેની ટકાવારી મા ગણત્રી કરો તો માત્ર ૧૦ કે ૨૦ ટકા બાકી ના યુવાનો  કે જેઓ ગામડા મા રહેતા હોય, કોઇ કારખાના માં કામ કરતા હોય કે પોતા નો સ્વતંત્ર ધંધો કે ખેતી કરતા હોય, એમને અંગ્રેજી ની કોઇજ જરુર નથી, એમની વસ્તી અંગ્રેજી બોલવાવાળા યુવાનો  કરતા વધારે છે. માત્ર મોટી કોર્પોરેટ કંપની મા કે બેન્ક માં  નોકરી કરતાયુવાનો અંગ્રેજી બોલવા માંડે એટલે કાંઇ ગુજરાતી ભાષા મરી ના જાય, અને આપણી મોટી વસ્તી તો ગામડા મા રહે છે નહી કે શહેર માં , એટલે ગુજરાતી તો હજી જીવતી જ રહેવા ની છે.

ખરેખર જો તમને  ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હોય તો દરેક વ્યક્તિ જોડણી ભૂલ વગર નું  સાચુ ગુજરાતી લખે તેવુ કાંઇક કરવુ પડે. આજનો કોઇપણ ગુજરાતી સાચી જોડણી સાથે ગુજરાતી નથી લખી શકતો, અહિયા જ જૂઓ  ઉપર વાંચ્યું તેમા કેટલી બધી ભૂલો છે….!!! આજ દિવસ સુધી કોઇ લેખકે કે સમાચાર પત્રે જોડણી ભૂલો વિશે કાંઈ લખ્યુ નથી, અને અંગ્રેજી વિશે તો રોજ પાના ભરાય છે…!!!

લગ્ન માં ગિફ્ટ આપવી છે તો નોંધણી કરાવો…!!!

હવે લગ્ન માં મળતી ભેટ સોગાત ની નોંધણી કરવા નો કાયદો  આવી રહ્યો  છે. લગ્ન માં અપાતી તમામ ભેટ ની નોંધણી કરાવાની..!!! ના કરાવો તો ત્રણ વર્ષ ની જેલ..!!! અને ઉપર થી દંડ પણ ખરો. લગ્ન માં તો ભેટ લગભગ બધા સગા પોતાના રીવાજ પ્રમાણે આપતાજ હોય છે, એટલે હવે વર કન્યા ના બાપ ને એક ઉપાધી વધી.  પહેલા લગ્ન નોધણી કરાવાનો કાયદો આવ્યો હવે ભેટ નોધણી કરાવો , અને હવે પછી રાહ જુવો નવો કાયદો આવશે જ મહેમાનોની નોંધણી કરાવો…!!! અને પછી જે મહેમાને ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કર્યુ હશે એને જ હાજરી આપવા દેવામાં આવશે. અને એથી આગળ મહેમાનો ક્યુ વ્હિકલ લાવ્યા તેની પણ નોંધણી…બસ નોંધણી જ કરાવે રાખો…કાયદો તો તોડવા માટે જ બને છે ને…!!!